ગૃહલક્ષ્મી

♥ BY. RASHMIKANT SHAH ♥

એક છોકરા ની સગાઇ થઇ .બંને ખુબ ખુશ
હતા બે જણા ફરવા ગયા તો છોકરા ની કાર
નો અકસ્માત થતા રહી ગયો ..
થોડા ટાઇમ પછી ફરી એ
લોકો ફરવા ગયા ફરી છોકરા ની કાર
નો અકસ્માત થયો છોકરી ને કઈ ના થયું
પણ છોકરા બહુ ગંભીર ઈજા થઇ..
ઘણા મહિના પછી છોકરો સાજો થયો ..
પણ છોકરા ના ઘર વાળા ને અને
છોકરા ને શંકા જવા લાગી કે જ્યાર
થી આ છોકરી એના જીવન માં આવી છે
ત્યાર થી એમને કૈક ના કૈક ખરાબ
થવા લાગ્યું છે . એવું માની ને એમને
છોકરી સાથે સગાઇ તોડી નાખી ..
છોકરી આઘાત સહન ના કરી શકી અને એ
ને આત્મહત્યા કરી દીધી .. સમય
વીતતો ગયો પણ છોકરા નું ક્યાય
નક્કી નતું થતું ... પછી એક દિવસ
છોકરો જ્યોતિષ ને બતાવ ગયો ...
જ્યોતિષે કુંડળી જોઈ ને કીધું કે તમે
તો થોડા સમય પેહલા જ
મરી ગયા હોવા જોઈએ નક્કી તમને
કોઈક ના નસીબ
થી બચી ગયા હશો ..આ
સંભાળતા છોકરા ને એહસાસ થયો કે જે
છોકરી ને મેં છોડી દીધી એના નસીબ
થી જ હું બચી ગયો હતો . .. બસ આ જ
આઘાત માં ને આઘાત
માં ગાડી ચલાવતા એનો અકસ્માત
થયો અને એ પણ મારી ગયો ....

♥ નોધ : કોઈ પણ આવનારી લક્ષ્મી પર
દોષ દેતા પેહલા પોતાના નસીબ વિશે
વિચારી લેવું જોઈએ .
લક્ષ્મી હમેશા ઘર માં ખુશી જ લાવે છે
એ ભલે ને પછી વહુ હોય કે દીકરી

જન્મદિવસની પ્રાર્થના

♥  કુન્દનિકા કાપડીયા ♥

આમ તો દરેક દિવસ એ, ભગવાન !
તમે આપેલી તાજી ભેટ છે.
જાગૃત માણસ માટે દરેક નવો દિવસ
નવી શરૂઆત બની શકે
પણ ભગવાન આજે મારો જન્મદિવસ છે.
અને એટલે આજનો દિવસ
વિશેષ પ્રાર્થનાનો, વિશેષ જાગૃતિ,
વિશેષ સંકલ્પનો દિવસ છે.

આજના દિવસે, ભગવાન ! હું
ધન માન કીર્તિ અને આરોગ્ય
નથી માંગતો
પણ આ બધુ મને મળે
તો એનો ઉપયોગ હું સહુના કલ્યાણ અર્થે
કરી શકું
એવો સર્વ પ્રત્યેનો મૈત્રીભાવ માગું છું.

આજના દિવસે ભગવાન ! હું એમ
નથી માંગતો કે
મારો રસ્તો સરળ બને,
મારા કાર્યો નિર્વિઘ્ને પાર પડે
પણ એમ બને તો, તો એ નિષ્ફળતા મને
નમ્ર બનાવે એ હું માંગુ છું.

લોકો કહે છે યૌવનનો કાળ ઉત્તમ કાળ છે
તરુણાઈ અને તરવરાટ જીવનને એક ઐશ્વર્ય
આપે છે પણ આ ઐશ્વર્ય, આ શક્તિ, આ મસ્તી ને આ અભિમાનમાં મારો માર્ગ તમારાથી દૂર ન
નીકળી જાય એ હું માંગુ છું.

જીવનને સાચી અને સારી રીતે
જીવવા માટેની સમજણ માગું છું.
અત્યારે તો બસ કમાવાનો, વધુ ને વધુ
સંપતિ મેળવવાનો
જીવનની હરણફાળમાં બીજાથી આગળ ને
આગળ નીકળી જવાનો અવસર છે:
અને પ્રાર્થના તો પછી ઘરડા થઈશું ત્યારે
કરીશું
અત્યારે એ માટે કાંઈ સમય કે સગવડ નથી -
એવું હું માનવા ન લાગું, એ આજે માગું છું
કારણ કે, પ્રાર્થના કરવી
તમારી નીકટ આવવું
એ કાંઈ પૈસાનો સવાલ નથી, એ
તો હૃદયનો સવાલ છે.

જુવાન હોઈએ ત્યારે એમ વર્તીએ છીએ
જાણે અમે ક્યારેય વૃદ્ધ થવાના નથી
પણ સુર્યને ઢળતો અટકાવી શકાતો નથી
ફૂલને કરમાતું રોકી શકાતું નથી.
એટલે અમારી આ ખુમારી, આ થનગનાટ,
આભવીંઝતી પાંખો
અમારી આ કરમાઈ જનારી વસ્તુઓ
સદાકાળ ટકી રહો એવી મારી માંગણી નથી.
પણ એ બધું અસ્ત પામે ત્યારે
એવી અદકી સુંદર બાબતો-
પરિપકવતા, સૌમ્યતા, માયાળુતા,
બીજાને સમજવાની શક્તિ
મારામાં ઉદય પામે તેમ ઈચ્છું છું.

આ દુનિયામાં તમે મને જન્મ આપ્યો છે
તે માટે હું તમારો આભાર માનું છું.
હું એવું હૃદય માંગું છું, જે આ દુનિયાને
તમારા માટે ચાહી શકે.

આ સૃષ્ટિ તમે આનંદ વડે આનંદ માટે સર્જી છે
એને હું મારા સ્વાર્થ અને
બેકાળજીથી ક્ષતિ ન પહોંચાડું
મૂંગા પ્રાણીઓ અને મધુર વનસ્પતિ-
સૃષ્ટિને ચાહું.

હવા, પાણી અને ભૂમિને દૂષિત ન કરૂં.
દરેક દિવસે હું એક પગથિયું ઊંચો ચઢું
દરેક પગલે હું થોડોક તમારી નીકટ આવું
રોજેરોજ, કોઈક સત્કર્મથી મારા હૃદયમાં
રહેલા તમને વ્યક્ત કરું દુનિયાને મારા થકી
થોડી વધુ સુંદર બનાવું.

દરેક વર્ષે આજનો દિવસ આવે ત્યારે
આગલા વર્ષ કરતાં મારું જીવન વધુ કૃતાર્થ
બન્યું છે એમ કહી શકું - એ હું માગું છું.

એક એક જન્મદિવસ આવે છે, એક એક વર્ષ
જીવનમાં ઉમેરાય છે.
એ મને યાદ આપે છે કે સમય
કેટલી ઝડપથી વહી રહ્યો છે.
દરેક ક્ષણ મૂલ્યવાન છે, અંત ક્યારે આવશે
તેની ખબર નથી.

આવતીકાલે કદાચ હું ન પણ હોઉં
તેથી આજનો દિવસ હું સંપૂર્ણ રીતે
જીવવાનો પ્રયત્ન કરું.
દરેક દિવસે મારો નવો જન્મ જ થાય છે તેમ
માનું અને પ્રત્યેક દિવસે વિદાય લેવા
મારા જીવનની ચાદર ઊજળી રાખીને
તમને ધરી દેવા તત્પર રહું
આજે, જન્મદિવસે ભગવાન !
એ હું તમારી પાસે માંગુ છું
(‘ પરમ સમીપે ’ માંથી.. સાભાર)

આલ્ફ્રેડ નોબેલની મજબુરી

જેના નામે નોબેલ પારિતોષિક
આપવામાં આવે છે એ આલ્ફ્રેડ નોબેલના બાળપણની વાત જાણવા જેવી છે.
તેનું બાળપણ દુઃખથી ભરેલું હતું.

તે અશક્ત અને ચીડિયા સ્વભાવનો હતો.
તે દવા પર જીવી રહ્યો હતો. તેની નાજુક
તબિયતને કારણે ઘરના લોકો તેને
બીજા છોકરાઓ જોડે હળવામળવા દેતા નહોતા, તેથી તે એકલપંડો થઈ ગયો હતો.
મનમાં મૂંઝાયા કરતો હતો અને
પોતાની લાગણી તથા ભાવના બીજા સાથે
પ્રગટ કરવામાં તેને ડર લાગતો હતો,
તેથી તે બીજા સાથે બોલવાનું ટાળતો.
તેનું વર્તન સ્વયંલક્ષ્મી રહેતું. બધી વસ્તુ
પોતાની જાતે જ કરતો.
બધા લોકો સાથે બોલવાનું તેને પસંદ
નહોતું. તેને ચિત્રો બનાવવાનું ફાવતું
નહોતું.

તેથી બાળપણની સ્મૃતિની વહેંચણી અન્ય
સાથે કરી શકતો નહોતો. તેણે
પોતાની લાગણી રજૂ કરવા માટે
યુવાનીમાં ખંડકાવ્ય લખ્યું હતું.
તેમાં ઈશ્વરનું અસ્તિત્વ, પ્રેમનો પ્રભાવ,
સૃષ્ટિની જિજ્ઞાાસા વગેરે
વિષયની વાત વણી લીધી હતી. તેને
સંશોધનમાં પણ સુખ મળ્યું નહોતું અને
લેખનમાં પણ સંતોષ નહોતો. ધંધામાં પણ
તેને આત્મશાંતિ મળી નહોતી. અંતે તેણે
ચાળીસ લીટીનો મૃત્યુપત્ર
લખ્યો હતો અને તેની અપાર
સંપત્તિમાંથી નોબેલ પારિતોષિક
આપવાની પ્રથા શરૃ થઈ હતી. જોકે, આ
બધું તેના મૃત્યુ પછી શરૃ થયું હતું.

કર્મોનું વાસ્તવિક સ્વરૂપ

એક દિવસ રાજા ભોજ ગાઢ
નિદ્રામાં સૂતેલો હતો ત્યારે એને એક
સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને એક અત્યંત
દૈદીપ્યમાન વૃદ્ધ પુરુષના દર્શન થયા.
ભોજ રાજાએ તેમને પૂછયું- 'મહાનુભાવ !
તમે કોણ છો ?' તે વૃદ્ધ માનવીએ
પ્રત્યુત્તર આપતાં કહ્યું- 'હું સત્ય છું. તને
તારા કાર્યોનું વાસ્તવિક સ્વરૃપ
બતાવવા આવ્યો છું. તું મારી પાછળ,
પાછળ આવ અને તારા કાર્યોનું વાસ્તવિક
સ્વરૃપ તારી નજરે જ નિહાળ.' એ વૃદ્ધ પુરુષ
ચાલવા લાગ્યો અને રાજા ભોજ
તેની પાછળ પાછળ ગયો.
માર્ગમાં વૃદ્ધ પુરુષે રાજા ભોજને તેણે
કેવા સત્કાર્યો કર્યા છે તે વિશે પૂછયું.
ભોજ રાજાએ કહ્યું- 'મેં
ઇષ્ટાપૂર્તના બધા કાર્યો કર્યા છે.
યજ્ઞા- યાગ, પૂજન- અર્ચન, કીર્તન-
નામસ્મરણ, વ્રત-ઉપવાસ, તીર્થાટન-
દાન ઉપરાંત મંદિર નિર્માણ, વાવ-
કૂવા બનાવવા, રસ્તાઓ અને
ઉદ્યાનો બનાવવા એવા પુણ્યના અનેક
કાર્યો કર્યા છે.' આ વિશે વાત કરતા પણ
ભોજ અત્યંત ગર્વ અનુભવતો હતો એવું એ
વૃદ્ધપુરુષને લાગ્યું.
વૃદ્ધ પુરુષના રૃપમાં સત્ય રાજા ભોજને
સર્વપ્રથમ રાજાએ બનાવેલા એક રમણીય
બાગમાં લઇ ગયા. બગીચામાં ચારે તરફ
ફરતાં ભોજે કહ્યું- આ વૃક્ષો મેં જ
વાવ્યા છે. એમને પાણી પણ મેં જ
પીવડાવ્યું છે. જુઓ, આના પર કેવા સુંદર
ફૂલો ઊગ્યા છે ! પેલા વૃક્ષ પર કેવા સરસ
ફળો લાગ્યા છે ! વૃદ્ધ પુરુષ એક વૃક્ષ પાસે
ગયા અને તેને હાથથી સ્પર્શ કર્યો. એને
સ્પર્શ કરતાં જ એના પુષ્પ- પર્ણ અને ફળ
ખરી પડયા. એનું થડ સૂકું થઇને કાળું ભઠ્ઠ
બની ગયું ! આ જોઇને રાજા ભોજ
આશ્ચર્યચકિત થઇ ગયો.' આ છે તારા વૃક્ષ
ઉગાડવાનું ફળ !' વૃદ્ધ માનવીએ
રાજા ભોજને કહ્યું. ચાલ, હજુ તને
તારા બીજા પુણ્ય કર્મોનું ફળ બતાવું !
તે પછી વૃદ્ધ પુરુષ રાજા ભોજને લઇને તેણે
બનાવેલા સ્વર્ણ જડતિ મંદિર પાસે લઇ
ગયા. રાજાને આ મંદિર વિશે ખૂબ
અભિમાન હતું. વૃદ્ધ માનવીએ પૂછયું- 'આ
મંદિર પણ તે જ બનાવ્યું છે ને ?' રાજાએ
અભિમાન પૂર્વક કહેવા માંડયું- 'હા, મેં જ
કરોડો રૃપિયા ખર્ચીને આ મંદિર બનાવ્યું
છે. એમાં લગભગ બધે જ સુવર્ણ જડેલું છે.
આખી ધરતી પર આવું મોંઘુ મંદિર બીજું કોઇ
નથી.'વૃદ્ધ પુરુષે તેને કહ્યું- 'તને એવું લાગતું
હશે. પણ એ સાચું નથી. તારે એનું વાસ્તવિક
સ્વરૃપ જોવું છે ? તો ચાલ, તને એ પણ
બતાવી દઉ ! વૃદ્ધ પુરુષ એ મંદિર પાસે
ગયા અને તેને પોતાના હાથથી સ્પર્શ
કર્યો. એમના સ્પર્શતાની સાથે જ
સૂર્યના પ્રકાશમાં ઝગારા મારતું એ
સુવર્ણજડિત મંદિર કાળુ પડી ગયું. એનું સોનું
લોખંડના રૃપમાં પરિવર્તિત થઇ ગયું.
થોડીવાર પછી એના આલીશાન
આરસપહાણના પથ્થરો છૂટા પડવા લાગ્યા અને
પત્તાના મહેલની જેમ કકડભૂસ કરતું
જમીનદોસ્ત થઇ ગયું ! આ દ્રશ્ય નિહાળીને
રાજા ભોજના હોશ ઊડવા લાગ્યા.
એના મુખ પર કાલિમા છવાઇ ગઇ. વૃદ્ધ
પુરુષે કહ્યું- 'જોયું ને ? આ હતું તારું સુવર્ણનું
મંદિર બનાવવાનું પુણ્ય ફળ !' એ પછી તે
વૃદ્ધ પુરુષે રાજા ભોજના અન્ય જે પુણ્ય
પ્રાપ્ત
કરવાના કાર્યો થકી થયેલી રચનાઓ
હતી તેને સ્પર્શ કર્યો હતો તો તે
બધાની પણ એ જ દશા થઇ જે બાગ અને
મંદિરની થઇ હતી.
તે પછી વૃદ્ધ પુરુષનું રૃપ લઇને આવેલા સત્યે
રાજા ભોજને કહેવા માંડયું- 'રાજન્, તને
એવો પ્રશ્ન થતો જ હશે કે પુણ્ય કાર્ય
કરવા છતાં તેનું પરિણામ આવું કેમ ?
સત્કાર્યોનું ફળ આવું તકલાદી કેમ
બની ગયું ? તો હું તને એનું કારણ સમજાવું.
સત્કર્મના રાજ્યમાં સદ્ભાવનાનું ચલણ
ચાલે છે. માનવીની બાહ્ય ક્રિયાનું નહી,
એની આંતરિક વૃત્તિ કે આંતરભાવનું મહત્વ
છે. લોકોને દેખાડવા માટે કે
યશપ્રાપ્તિ માટે જે કાર્ય કરાય તેનું
દુન્યવી વાહવાહ થવાથી મોટું કોઇ ફળ
નથી.
સાચો સદ્ભાવ રાખી, નિઃસ્વાર્થ
વૃત્તિ રાખી સર્વનું કલ્યાણ કરવા કર્તવ્ય
કર્મ કરે તે સાચું પુણ્ય કાર્ય કહેવાય.
પોતાના સ્વાર્થ માટે વ્રત-ઉપાસના,
જપ-તપ કે દયા-દાન કરે તેનું સત્ય-
ધર્મના પથ પર કશું જ મૂલ્ય નથી. મંદિરો,
ધર્મશાળાઓ ઉદ્યાનો વગેરે
બનાવી મહાન દાનવીર
હોવાના અભિમાનમાં રાચતા ભૌતિકવાદી પુણ્યકર્મી કરતાં પ્રત્યેક
જીવમાં પરમાત્માના દર્શન
કરી એની સાથે સદ્વ્યવહાર
કરી એની નિસ્વાર્થ-નિર્વ્યાજ
સેવા કરવાની સદ્ભાવના ધરાવનારા આંતરધર્મી પુણ્ય
કરનારા હજાર દરજ્જે સારા છે.
પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા દેખાવનું
સારું કાર્ય કર્યું હોય તે પુણ્ય કાર્ય નથી.
બીજાનું ભલું કરવાની સદ્ભાવનાથી સહેજ
પણ અભિમાન કે સ્વાર્થ વગર સહજ રીતે
પરોપકાર કે લોકકલ્યાણનું સત્કર્મ થાય તે
સાચું પુણ્ય કાર્ય છે.'
આટલું કહીને તે વૃદ્ધ પુરુષ રૃપી સત્ય
અંતર્ધામ થઇ ગયા. રાજા ભોજનું સ્વપ્ન
પણ તૂટી ગયું. સ્વપ્નનું સત્ય તેને
સ્પર્શી ગયું. તેણે પોતાના સ્વાર્થ માટે
કરાતા ભૌતિક પુણ્યકાર્યોને બદલે
નિરભિમાની બની નિઃસ્વાર્થ
ભાવથી લોકકલ્યાણના કાર્યો કરવા માંડયા.
કોઇપણ
પ્રકારના બદલાની ભાવના રાખ્યા વિના કરાયેલા વેદમાં ઉપદેશેલા ઇષ્ટાપૂર્ત
કર્મથી અંતે રાજા ભોજ સત્ય-
ધર્મમાં સમ્યક્ રીતે સુપ્રતિષ્ઠિત થયો.

વૈકુંઠનો સાચો અધિકારી

ભગવાન વિષ્ણુએ એકવાર જય-વિજય
નામના તેમના દ્વારપાળોને પૃથ્વી પર
મોકલ્યા અને તેમને કહ્યું - ''ધરતી પર જઈને
એ વાતની તપાસ કરો કે અત્યારે
કેટલી વ્યક્તિઓ વૈકુંઠ
ધામની અધિકારી છે ? આ
બધામાં સૌથી વધુ પુણ્ય કોનું છે ?
જય-વિજય પોતાનું વિમાન લઈને
ધરતી પર આવ્યા.
વૈકુંઠના સાચા અધિકારીને
શોધવા આખી પૃથ્વીને ખૂંદી કાઢી. તેમણે
જોયું તો આખી ધરતી પર લોકો કોઈને
કોઈ ધર્મકાર્ય કરી રહ્યા છે. કોઈ ભગવાન
પૂજન કરે છે તો કોઈ દર્શન, કોઈ સેવા કરે છે
તો કોઈ સ્મરણ. કોઈ યજ્ઞા- યાગ કરે છે
તો કોઈ તીર્થાટન. જય-વિજયે તે
બધાની વિગતો નામઠામ સાથે
લખી લીઘી. આ રીતે પરિભ્રમણ
કરતા કરતા તે જેમને મળતા તેમને
પૂછતા હતા, ''અરે ભાઈ ! તમે આ બધું
શેના માટે કરો છો ?'' તો તે જવાબ
આપતા - ''આ માનવ જીવન તો ક્ષણભંગુર
છે ગમે ત્યારે મૃત્યુ આવી જાય ! ભગવાનનું
પૂજન- અર્ચન કરીએ તો ભવ
ફેરામાંથી છૂટાય અને
જ્યાં ગયા પછી પાછા ન ફરવું પડે એ વૈકુંઠ કે
સ્વર્ગની પ્રાપ્તિ થાય.''
આ રીતે પરિભ્રમણ કરતાં કરતાં તે
જ્યાં વિષુવવૃત્ત રેખા પસાર
થતી હતી એવા ગાઢ
જંગલોથી ઘેરાયેલા એક
ગામમાં પહોંચ્યા રાત પડી ગઈ હતી.
ચોમેર અંધકાર છવાઈ ગયો હતો. તેમણે
જોયું તો એક વૃદ્ધ
માનવી દીવો પ્રગટાવીને
ખાટલો ઢાળીને બેઠો છે. જય-
વિજયના પગલાનો અવાજ સાંભળી તેણે
એ બન્નેનું પ્રેમાળ શબ્દોથી સ્વાગત કર્યું.
થોડીવાર માટે
એમના ઝૂંપડામાં આવી સ્વસ્થ થવા સૂચન
કર્યું. તે બન્ને તેમની પાસે ગયા અને તેનું
નામ પૂછયું. તે વૃદ્ધે પોતાનું નામ આપ્યું
અને કહ્યું - ''ઇશ્વરે મારી બન્ને
આંખોની રોશની લઈ લીધી છે. પણ એ
તો મારા કર્મનું ફળ હશે. મને ઇશ્વર સામે
કોઈ ફરિયાદ નથી.'' બન્નેએ વૃદ્ધને પૂછયું,
''તમે અહીં ખાટલામાં બહાર
દીવો પ્રગટાવીને કેમ બેઠા છો ? તમે કશું
દેખી શકતા તો છો નહીં !'' પેલા વૃદ્ધે
જવાબ આપતા કહ્યું ''હું તો આખી રાત
દીવો ચાલુ રાખીને અહીં દરરોજ બેસું છું.
આ દીવો અહીંથી પસાર થતા મુસાફરોને
અંધારામાં માર્ગ દેખાય એટલા માટે કરું
છું.'' જય-વિજય એ વૃદ્ધના ઝૂંપડામાં જ
રાત રોકાઈ ગયા. બીજા જે મુસાફર
ત્યાંથી પસાર થતા તેમને
પ્રેમથી બોલાવતો. તેમના હાથપગ ધોઈ
આપતો થાક ઉતારવા ખાટલા પર
બેસાડતો. દીવાનો પ્રકાશ રસ્તા પર
ધરી એમને આગળનો રસ્તો બતાવતો.
સવાર પડી એટલે એ વૃદ્ધ
માનવી સૂવાની તૈયારી કરવા લાગ્યો.
જય-વિજયે પૂછયું, ''તમે ભગવાનનું પૂજન-
અર્ચન કે કીર્તન વગેરે કરો છો ખરા ?''
પેલા વૃદ્ધ માનવીએ કહ્યું, ''ના, હું એવું
કાંઈ કરતો નથી. રાતે મુસાફરોને
દીવાના પ્રકાશથી રસ્તો બતાવું છું. અને
દિવસે સૂઈ જાઉં છું. આ બે જ મુખ્ય કામ હું કરું
છું.'' જય-વિજયે તેમની રજા અને પોતાના
કામ માટે પાછા આગળ વધી ગયા.
થોડા સમય પછી એ પાછા વૈકુંઠ
લોકમાં આવ્યા અને ભગવાન વિષ્ણુને
મળી પોતાની શોધખોળનો વૃત્તાંત રજૂ
કર્યો.
જય-વિજયે પોતાનો ચોપડો ભગવાનને
સુપરત કર્યો અને કોણે કોણે કેવા યજ્ઞા-
યાગ, વ્રત- ઉપવાસ, પૂજા- પાઠ અને
ભજન-કીર્તન કર્યા હતા તે નોંધ
બતાવી ભગવાન
એના પાના ઉથલાવવા લાગ્યા.
એમાં લખેલી વિગત વાંચી લેતા. એમ
કરતા કરતા ભગવાન વિષ્ણુ
નોંધપોથીના એક પાના પર
લખાયેલી વિગત વાંચી ત્યાં જ
અટકી ગયા. ભગવાન બોલી ઉઠયા, ''બસ,
આ જ છે વૈકુંઠનો સાચો અધિકારી !'' જય
વિજયે પાસે આવીને જોયું તો તે પૃષ્ઠ પર
તો પેલા વૃદ્ધ
માનવીની વિગતો લખાયેલી હતી. જય-
વિજયના મુખેથી આશ્ચર્યનો ઉદ્ગાર
સરી ગયો - ''અરે ! પેલો વૃદ્ધ માનવી ?
એ વૈકુઠનો અધિકારી ? એ
તો સ્વર્ગનો અધિકારી પણ નથી. એ
કદી તમારી પૂજા- અર્ચના કરતો નથી.
ક્યારેય નામ-સ્મરણ પણ કરતો નથી.''
ભગવાન વિષ્ણ્ુએ એમની ધીર-ગંભીર
વાણીમાં એમને સમજાવ્યું, ''પૂજન- અર્ચન,
વ્રત- ઉપવાસ અને ભજન-કીર્તન વગેરે
પ્રક્રિયા એટલા માટે છે કે
એના થકી માનવ આત્મ-અભિમુખ થઈ
સર્વમાં વ્યાપેલા મને નિહાળી શકે.
એમની સાથે વ્યવહાર કરતી વખતે તે
મારી સાથે જ વ્યવહાર કરી રહ્યો છે એવું
સમજી શકે. જે દરેક સ્થળે અને દરેક
પ્રાણીમાં મને નિહાળતો ન હોય અને દરેક
ક્રિયાને મારી ઉપાસના સમજીને સમ્યક્
રીતે કરતો ન હોય તે પુણ્યના સ્થૂળ
ક્રિયાકલાપો યંત્રવત્ કરતો રહે તેનો કોઈ
અર્થ નથી. પેલો વૃદ્ધ માનવી દરેક
વ્યક્તિમાં ઇશ્વરનું રૃપ જોઈ
તેની સેવા કરવા તન્મય રહે છે. આ
એની સૂક્ષ્મ ઉપાસના છે એટલે એને
બીજી કોઈ ઉપાસનાની સ્થૂળ ક્રિયાઓ
કરવાની જરૃર નથી. પ્રત્યેક પ્રાણીને
મારી કૃતિ સમજીને તે તેમની નિઃસ્વાર્થ
સેવા કરે છે એટલે એ જ
વૈકુંઠનો સાચો અધિકારી છે !''

દીકરીનો માંને પત્ર

=====================
એક બહુ જ સરસ પત્ર
(એક દીકરી નો એની મમ્મીને)
=====================

પ્રિય મમ્મી,
8 GB ની PEN DRIVE માં,
થોડી જગ્યા ઓછી પડી. નહિ તો,
મારું આખું બાળપણ એક ફોલ્ડર
માં નાંખી ને, અહીં સાસરે લઇ
આવી હોત. પણ, મારું બાળપણ
તો તારા ખોળા માં જ રહી ગયું.
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ
જતી, એ સમય સોનાનો હતો. અને
એટલે જ , એ ચોરાઈ ગયો.
સોનાની વસ્તુઓ પહેલેથી જ હું
સાચવી શકતી નથી. ગમે
ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે
તો, તું મને શોધી આપતી. સાસરે
આવ્યા પછી, મારી જ જાત મને
મળતી નથી, તો બીજી વસ્તુઓ
તો ક્યાં થી મળે ?
તું રોજ સવારે, મારા માથા ઉપર
હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે,
ALARM મુકવું પડે છે.
આજે પણ રડવું આવે છે, ત્યારે
તારી જૂની સાડી નો છેડો આંસુઓ
સામે ધરી દઉં છું. આંસુઓ ને તો મૂરખ
બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે
બનાવું ? આંખો પણ હવે,
INTELLIGENT થઇ ગઈ છે.
મમ્મી, જયારે પણ VEHICLE ચલાવું
છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને
સૂચના નથી આપતું કે 'ધીમે ચલાવ'.
'ધીમે ચલાવ' એવું કહેવા વાળું હવે
કોઈ નથી, એટલે 'ફાસ્ટ'
ચલાવવાની મજા નથી આવતી.
મમ્મી,
મારાઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં,
એક પણ U-TURN આવ્યો નહિ.
નહિ તો, હું તને લેવા ચોક્કસ
આવી હોત.
લગ્ન પછી ઘરથી સાસરા તરફ
જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું
વિદાય પામી હતી, એ
ગાડી ના 'REAR-VIEW MIRROR'
માં લખેલું હતું કે ' OBJECTS IN THE
MIRROR ARE CLOSER THAN THEY
APPEAR'. બસ, એ જ અરીસા માં છેક
સુધી મેં તારો ચેહરો જોયા કર્યો.
મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY
હોય છે. એવા રસ્તાઓ ઉપર હું આગળ
નીકળી ગઈ છું. કોઈ ને મારું સરનામું
પૂછવાનો અર્થ નથી કારણ કે
મારી SURNAME અને સરનામું, બંને
બદલાઈ ગયા છે. પણ એ રસ્તાઓ ઉપર
WRONG SIDE માં DRIVE કરી ને પણ,
તને મળવા હું ચોક્કસ આવીશ. કારણ
કે , મારું DESTINATION તો તું જ છે,
મમ્મી, મારું DESTINATION અને
મારી DESTINY બંને તું જ છે.
WORLD STARTS WITH YOU AND
ENDS IN YOU.
મમ્મી, સાસરે
આવ્યા પછી મારી દુનિયા બદલાઈ
નથી. કારણ કે, મારી દુનિયા તો તું
છે.

- લી. મમ્મી ની દિકરી..

♠ મૃત્યુ ♠

♥ સ્પાર્ક - વત્સલ વસાણી ♥

એકરાજા વહેલી પરોઢે એને એક સ્વપ્ન આવ્યું,
જેમાં મૃત્યુના દેવતાએ એને ચેતવણી આપી કે -

'આજે સૂર્યાસ્ત સમયે તારું મોત છે.' અને એ ભયજનક ચેતવણીની સાથે જ રાજાની ઊંઘ ઊડી ગઈ. એ અકળાયો. શું કરવું તે સૂઝયું નહીં. એટલે તત્કાળ વજીરને તેડાવ્યો.

વજીરે વિચારના અંતે એક યુક્તિ સૂચવી,

'આપની પાસે પવનવેગી, પાણીદાર જે ઘોડો છે તેના પર બેસી સૂર્યાસ્ત પહેલાં, ક્યાંક એટલે દૂર નીકળી જાવ, જ્યાં મૃત્યુ આપને પકડી કે શોધી ન શકે.'

રાજાને વાત વાજબી લાગી.

વજીરની બુદ્ધિ માટે માન પણ થયું. પાણીદાર ઘોડા પર બેસી, ઘડીનાય વિલંબ વિના એ દોડવા લાગ્યો. ન તરસ, ન ભૂખ, ન થાક, ન સંકટ કશાનીય પરવા વિના પોતાના રાજ્યની સરહદ
વટાવી એ આગળ નીકળી ગયો. ઘોડો અવિરામ દોડયે જાય છે. પોતે પસીને રેબઝેબ છે. સૂર્યનારાયણ ઢળવાની અણી પર છે. રાજા 'હાશ !'
કહીને ઘોડાને ઊભો રાખે છે અને એક વૃક્ષની નીચે વિશ્રામ કરે છે. ઘોડાની પીઠ થાબડી રાજા કહે
છે : 'શાબાશ ! તેં મને બચાવી લીધો છે. હવે મને મોતની તો શું કોઇનીય પરવા નથી. હવે હું નિર્ભિક છું.' અને એ શબ્દની સાથે જ એક અદ્રશ્ય
પંજો રાજાની પીઠ પર પડયો.

'શાબાશ, મને પણ ચિંતા હતી કે સૂર્યાસ્ત સુધીમાં તું અહીં શી રીતે આવી શકીશ ?.... પણ ઘોડો ખરેખર પાણીદાર છે. એ તને નિશ્ચિત સમય પર બરાબર એજ જગ્યાએ ઉપાડી લાવ્યો છે જ્યાં તારું મૃત્યુ નિર્મિત હતું.'

'આજે વહેલી પરોઢે મને ખરેખર ચિંતા થયેલી કે તું
આટલા ઓછા સમયમાં આટલે દૂર શી રીતે આવી શકશે ? અને એ ચિંતાના કારણે જ મારે તારા સ્વપ્નમાં આવવું પડયું.'

♥ કથાનો સાર સુંદર છે. સમજદારના અંતરમાં છેક ઊંડે સુધી ઊતરી જાય એવો છે. મૃત્યુના દૂતે સંદેશો તો આપણને પણ આપ્યો છે. જીવનની પરોઢ જેવી ઊગે છે, મૃત્યુની સાંજનો સંદેશો પણ આપણને મળી જતો હોય છે. અને પછી સવારથી સાંજ સુધીમાં મૃત્યુથી બચવાના વ્યર્થ ઉપાયોમાં આપણે અટવાઇ જઇએ છીએ. કોઇ ધન પાછળ પાગલ બનીને મૃત્યુથી બચવાના તમામ ઉપાય યોજે છે. ધન એને મન સુરક્ષાનો માર્ગ છે. કોઇ પદ પાછળ દોડમદોડ કરી કીર્તિ ને નામના દ્વારા મૃત્યુથી બચવાના વલખા મારે છે. પણ નામ અહીં ક્યારે ને કોનું અમર રહ્યું છે ? જેનું આજે જગત ભરમાં નામ છવાયું છે તે પણ જીવનની સાંજ થતાં થતાંમાં સાવ નામશેષ થઇ જશે. સમય કોઈનાય પગલાને અહીં શાશ્વત થવા દેતો નથી. કાળની કેડી સાવ કોરી છે. ત્યાં પગલા પાડો ન પાડો ને ભૂંસાઈ જાય છે.

ઓશો આ કથાના સંદર્ભમાં કહે
છે ....જીવનમાં સૌથી રહસ્યપૂર્ણ કોઇ
બાબત હોય તો તે મૃત્યુ છે. રોજેરોજ અનેક
લોકોને મરણ પામતા જોવા છતાં આપણે
મૃત્યુને જોઇ કે સમજી શકતા નથી. મૃત્યુ
વિશે આપણે માત્ર અનુમાન કરીએ છીએ.
શરીર છોડીને જીવાત્મા અહીંથી જાય
એ પછી ક્યારેય કોઈએ પાછા ફરીને કહ્યું
નથી કે મારું મરણ થયું છે.
શરીરમાંથી જીવાત્મા જે ક્ષણે છૂટો પડે છે
તે ઘટનાને આપણે મૃત્યુ કહીએ છીએ. પણ એ
ખરેખર મૃત્યુ નથી. (દેહનું) મૃત્યુ
થવાથી તેમાં રહેલો જીવાત્મા કે માણસ
પણ મરી ગયો એવું આપણે કેવી રીતે
કહી શકીએ ? કેમ કે શરીરથી અલગ
પડેલો આત્મા નથી દેખાતો કે
નથી બોલતો. આથી આપણે ધારી લઈએ
છીએ કે ફલાણા ભાઈનું મૃત્યુ થયું.
જે જાણે છે તે તો કહે જ છે કે મૃત્યુ એ એક
ભ્રાંતિ, એક અનુમાન છે. મૃત્યુને જો ખરેખર
જાણવું હોય તો - સ્વાનુભવ
કરવો જોઈએ. આવો સ્વાનુભવ ભૌતિક
મૃત્યુ પહેલા પણ કરી શકાય છે. આ
માટેનો ઉપાય છે ધ્યાન.
ધ્યાનની ઊંડી અનુભૂતિ વખતે
વ્યક્તિ શરીરથી પૃથક્ હોવાનો અનુભવ
કરી શકે છે. શરીર અને પોતે જુદા છે
એવો અનુભવ ધ્યાનની શાંત
ક્ષણોમાં સંભવી શકે છે. માટે
જેના મનમાં પણ મૃત્યુ શું છે,
એવી જિજ્ઞાાસા થાય તેણે અનિવાર્ય
રીતે ધ્યાન કરવું જોઈએ. ધ્યાન એ કોઇ
ક્રિયા નહીં, એક અવસ્થા - એક સમજ છે.
શરીરથી અને મનથી કશું જ ન કરતા હોઇએ
ત્યારે જ ધ્યાનની ઝલક મળે છે.
આવી ક્ષણો દરેકના જીવનમાં અનાયાસે
આવે છે પણ એ ક્ષણોને શાશ્વત
બનાવી જીવી શકાય છે.

ઓશો કહે છે  આ પ્રત્યક્ષ જગત કરતાંય અંદરનું એક અદભુત રહસ્યમય જગત છે અને એને જાણવું હોય તો ધ્યાન સિવાય બીજો કોઇ ઉપાય નથી.
આજના સમયમાં માનવ જાતને બચાવી લેવાનો એક જ ઉપાય છે અને તે બબધ્યાન. ધ્યાન જ શાશ્વત જીવનનો એકમાત્ર સારસંદેશ છે.

♥ ક્રાન્તિ બીજ ♥

નથી બે ગજ ધરાથી કંઈ વધારે માનવી માટે !
ખબર છે તોય એ તરસ્યા કરે શાને ભવન
માટે ?

- આતિશ પાલનપુરી