♠ वस्तु का सही मूल्य ♠


भगवान् बुद्ध के एक अनुयायी ने कहा, ” प्रभु ! मुझे आपसे एक निवेदन करना है” बुद्ध: बताओ क्या कहना है ?

अनुयायी: मेरे वस्त्र पुराने हो चुके हैं . अब ये पहनने लायक नहीं रहे . कृपया मुझे नए वस्त्र देने का कष्ट करें !

बुद्ध ने अनुयायी के वस्त्र देखे , वे सचमुच बिलकुल जीर्ण हो चुके थे और जगह जगह से घिस चुके थे। इसलिए उन्होंने एक अन्य अनुयायी को नए वस्त्र देने का आदेश दे दिए।

कुछ दिनों बाद बुद्ध अनुयायी के घर पहुंचे।

बुद्ध : क्या तुम अपने नए वस्त्रों में आराम से हो ? तुम्हे और कुछ तो नहीं चाहिए ?

अनुयायी: धन्यवाद प्रभु . मैं इन वस्त्रों में बिल्कुल आराम से हूँ और मुझे और कुछ नहीं चाहिए।

बुद्ध: अब जबकि तुम्हारे पास नए वस्त्र हैं तो तुमने पुराने वस्त्रों का क्या किया ? अनुयायी: मैं अब उसे ओढने के लिए प्रयोग कर रहा हूँ ?

बुद्ध: तो तुमने अपनी पुरानी ओढ़नी का क्या किया ?

अनुयायी: जी मैंने उसे खिड़की पर परदे की जगह लगा दिया है l

बुद्ध: तो क्या तुमने पुराने परदे फ़ेंक दिए ?

अनुयायी: जी नहीं , मैंने उसके चार टुकड़े किये और उनका प्रयोग रसोई में गरम पतीलों को आग से उतारने के लिए कर रहा हूँ l

बुद्ध: तो फिर रसॊइ के पुराने कपड़ों का क्या किया ?
अनुयायी: अब मैं उन्हें पोछा लगाने के लिए प्रयोग करूँगा l

बुद्ध: तो तुम्हारा पुराना पोछा क्या हुआ ?

अनुयायी: प्रभु वो अब इतना तार -तार हो चुका था कि उसका कुछ नहीं किया जा सकता था , इसलिए मैंने उसका एक -एक धागा अलग कर दिए की बातियाँ तैयार कर लीं। उन्ही में से एक कल रात आपके कक्ष में प्रकाशित था।

बुद्ध अनुयायी से संतुष्ट हो गए। वो प्रसन्न थे कि उनका शिष्य वस्तुओं को बर्बाद नहीं करता और उसमे समझ है कि उनका उपयोग किस तरह से किया जा सकता है।

♠ श्रेष्ठ जल ♠

एक दिन बादशाह ने अपने सभी दरबारियों से प्रश्न किया - 'बता सकते हो कि किस नदी का जल श्रेष्ठ है?'
अधिकांश लोगों ने गंगा के जल को श्रेष्ठ बताया। कुछ ने गोदावरी के जल को।

जब बीरबल से पूछा गया तो वह बाले - 'यमुना का जल श्रेष्ठ है।'

बादशाह ने कहा 'क्या बात करते हो? दुनिया जानती है कि गंगाजल श्रेष्ठ है, तुम्हारे धर्मग्रन्थ भी यही कहते हैं।'

बीरबल बोले - 'जहांपनाह! मैं गंगाजल को अमृत मानता हूं। इसलिए आप उससे किसी जल की तुलना मत कीजिए। वह तो अमृत है। रही बात नदियों के जल की, उनमें तो आपके राज्य की यमुना ही है, जिसका जल सबसे अच्छा है।'

बादशाह मुस्करा कर रह गए। बीरबल के तर्क भी लाजवाब थे।

♠ सच्चा धन - पुरूषार्थ ♠


विक्रमादित्य उज्जैन के अनुश्रुत राजा थे, जो अपने ज्ञान, वीरता और उदारशीलता के लिए प्रसिद्ध थे। एक बार की बात है उनके पास सामुद्रिक लक्षण जानने वाला एक ज्योतिषी पहुँचा। विक्रमादित्य का हाथ देखकर वह चिंतामग्न हो गया। उसके शास्त्र के अनुसार तो राजा दीन, दुर्बल और कंगाल होना चाहिए था, लेकिन वह तो सम्राट थे, स्वस्थ थे। लक्षणों में ऐसी विपरीत स्थिति संभवतः उसने पहली बार देखी थी।

ज्योतिषी की दशा देखकर विक्रमादित्य उसकी मनोदशा समझ गए और बोले कि 'बाहरी लक्षणों से यदि आपको संतुष्टि न मिली हो तो छाती चीरकर दिखाता हूँ, भीतर के लक्षण भी देख लीजिए।'

इस पर ज्योतिषी बोला - 'नहीं, महाराज! मैं समझ गया कि आप निर्भय हैं, पुरूषार्थी हैं, आपमें पूरी क्षमता है। इसीलिए आपने परिस्थितियों को अनुकूल बना लिया है और भाग्य पर विजय प्राप्त कर ली है।

यह बात आज मेरी भी समझ में आ गई है कि 'युग मनुष्य को नहीं बनाता, बल्कि मनुष्य युग का निर्माण करने की क्षमता रखता है यदि उसमें पुरूषार्थ हो, क्योंकि एक पुरूषार्थी मनुष्य में ही हाथ की लकीरों को बदलने की सामर्थ्य होता है l

सौजन्य :-

'' SANSKAR '' Fb page

♠ स्वाभिमान ♠

बहुत समय पहले की बात है, किसी गाँव में एक किसान रहता था। वह रोज सुबह उठकर दूर झरने से स्वच्छ पानी लेने जाया करता था। इस काम के लिए वह अपने साथ दो बड़े घड़े ले जाता था, जिन्हें वो डंडे में बाँध कर अपने कंधे पर दोनों ओर लटका लेता था।

उनमे से एक घड़ा कहीं से फूटा हुआ था और दूसरा एक दम सही था। इस वजह से रोज घर पहुंचते -पहुंचते किसान के पास डेढ़ घड़ा पानी ही बच पाता था। ऐसा दो सालों से चल रहा था।

सही घड़े को इस बात का घमंड था कि वो पूरा का पूरा पानी घर पहुंचता है और उसके अन्दर कोई कमी नहीं है, वहीँ दूसरी तरफ फूटा घड़ा इस बात से शर्मिंदा रहता था कि वो आधा पानी ही घर तक पंहुचा पाता है और किसान की मेहनत बेकार चली जाती है। फूटा घड़ा ये सब सोच कर बहुत परेशान रहने लगा और एक दिन उससे रहा नहीं गया, उसने किसान से कहा, “ मैं खुद पर शर्मिंदा हूँ और आपसे क्षमा मांगना चाहता हूँ ?”

क्यों- किसान ने पूछा, “तुम किस बात से शर्मिंदा हो ?”
“शायद आप नहीं जानते पर मैं एक जगह से फूटा हुआ हूँ , और पिछले दो सालों से मुझे जितना पानी घर पहुँचाना चाहिए था बस उसका आधा ही पहुंचा पाया हूँ , मेरे अन्दर ये बहुत बड़ी कमी है, और इस वजह से आपकी मेहनत बेकार होती रही है। फूटे घड़े ने दुखी होते हुए कहा।

किसान को घड़े की बात सुनकर थोडा दुःख हुआ और वह बोला , “ कोई बात नहीं , मैं चाहता हूँ कि आज लौटते वक़्त तुम रास्ते में पड़ने वाले सुन्दर फूलों को देखो।”

घड़े ने वैसा ही किया, वह रास्ते भर सुन्दर फूलों को देखता आया , ऐसा करने से उसकी उदासी कुछ दूर हुई पर घर पहुँचते – पहुँचते फिर उसके अन्दर से आधा पानी गिर चुका था, वो मायूस हो गया और किसान से क्षमा मांगने लगा।

किसान बोला, "शायद तुमने ध्यान नहीं दिया पूरे रास्ते में जितने भी फूल थे वो बस तुम्हारी तरफ ही थे , सही घड़े की तरफ एक भी फूल नहीं था। ऐसा इसलिए क्योंकि मैं हमेशा से तुम्हारे अन्दर की कमी को जानता था , और मैंने उसका लाभ उठाया. मैंने तुम्हारे तरफ वाले रास्ते पर रंग -बिरंगे फूलों के बीज बो दिए थे , तुम रोज़ थोडा-थोडा कर के उन्हें सींचते रहे और पूरे रास्ते को इतना खूबसूरत बना दिया। आज तुम्हारी वजह से ही मैं इन फूलों को भगवान को अर्पित कर पाता हूँ और अपना घर सुन्दर बना पाता हूँ। तुम्ही सोचो अगर तुम जैसे हो वैसे नहीं होते तो भला क्या मैं ये सब कुछ कर पाता ?”

तो दोस्तो, कभी भी अपनी कमी का पछतावा ना करे l हम सब मे कोई ना कोई कमी और कौशल्य है ही l उसको सही दिशा दे और मनुष्य जन्म को सार्थक बनाये एवं अपना स्वाभिमान जगाये l

♠ अहंकार का परिणाम ♠

एक बार एक किसान की फसल चौपट हो गई। हारकर वह मेहनत-मजदूरी की तलाश में शहर चला गया। शहर से कुछ कमाई करने के बाद जब वह गांव लौट रहा था तो उसे रास्ते में एक ऊंटनी और उसका छोटा बच्चा नजर आया। किसान उन्हें अपने घर ले आया।

कुछ दिन बाद एक कलाकार ग्रामीण जीवन के चित्रण हेतु उसी गांव में आया। पेंटिंग के ब्रश बनाने के लिए वह किसान के घर आकर ऊंट के बच्चे की दुम के बाल ले जाता। इधर ऊंटनी खूब दूध देने लगी तो किसान उसका दूध बेचने लगा।

एक दिन कलाकार गांव लौटा और किसान को काफी सारे पैसे दे गया क्योंकि उसके चित्र अच्छी कीमतों पर बिके थे। किसान ने एक सुंदर-सी घंटी लाकर ऊंट के बच्चे के गले में पहना दी। अब उसने कुछ और ऊंट पाल लिए। किसान इन ऊंटों को चरने के लिए दिन में छोड़ देता और वे शाम तक लौट आते। ऊंट का बच्चा कुछ बड़ा हुआ तो वह भी चरने जाने लगा। लेकिन गले में बंधी घंटी की वजह से वह खुद को दूसरों से विशिष्ट मानने लगा। अहंकार वश वह खुद को खास समझता और ऊंटों की टोली से प्राय: दूर-दूर ही चलता। कोई साथ चलने को कहता तो उसकी ओर ध्यान नहीं देता। वह मुंह फेरकर चल देता। उधर वन का एक शेर ऊंटों की टोली को आते-जाते देखता रहता था। वह ऊंटों के झुंड पर तो आक्रमण नहीं कर सकता था। लेकिन जब उसने घंटीधारी ऊंट को अकेले चरते हुए देखा तो वो खुश हो गया।

एक दिन जब ऊंटों का दल डेरे की तरफ लौट रहा था। तो घात लगाए बैठा शेर उस घंटीधारी ऊंट को जंगल में खींच ले गया। इस तरह उस घंटीधारी ऊंट को अपने अहंकार की वजह से जान से हाथ धोना पड़ा।

♥ शिख  ♥

जो स्वयं को श्रेष्ठ और दूसरों को हीन समझता है। उसका अहंकार शीघ्र ही उसे ले डूबता है। हम सबमे तरह तरह के कौशल्य है उसका हमे गर्व होना चाहिए लेकिन अहंकार नहि l

♠ કરકસર ♠

પંડિત શ્રી મદનમોહન માલવિયાએ હિંદુ વિશ્વવિદ્યાલની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. એ માટે ઠેરઠેર ફાળો એકત્ર કરવા ફરતા. આ રીતે કોલકતાના એક ધનાઢ્ય શેઠના આંગણે પહોંચ્યા. આંગણામાં શેઠનો નાનો બાળક દિવાસળીની પેટી સાથે રમતો હતો. છોકરાએ એક સળી સળગાવી. ઠપકો આપતા શેઠ તેને બોલ્યા, 'કેમ દિવાસળી વગર કારણે બરબાદ કરી ?'

માલવિયાજીને લાગ્યું કે આપણે ખોટા ઠેકાણે આવી ગયા છીએ. આવો કંજૂસ માણસ શું દાન આપવાનો હતો !

મદનમોહનજી પાછા ફરવા લાગ્યા ત્યાં શેઠની નજર પડી એટલે શેઠ બોલ્યા, 'અરે ભાઈ ! પધારો, આંગણે આવીને કેમ પાછા ફરો છો ?' મદનમોહન પાછા ફર્યા અને કહ્યું, 'હિંદુ વિશ્વવિદ્યાલય માટે ફાળો લેવા આવેલો !!'

'મારા તરફથી પચાસ હજાર રૂપિયા સ્વીકારો.' - ચેક ફાડીને માલવિયાજીના હાથમાં મૂકતાં શેઠે કહ્યું, 'માલવિયાજી વિચારવા લાગ્યા કે આ શેઠનું કયું સ્વરૃપ સાચું ? દિવાસળીની એક સળી માટે વહાલા દીકરાને ઠપકો આપનાર કરકસરિયા કંજૂસનું કે આવડી મોટી રકમનું દાન આપનાર દાનવીરનું ?'

માલવિયાજીની મૂંઝવણ શેઠ પામી ગયા. એમણે સમજાવ્યું કે ઉદારતા સમય આવ્યે કરવાની હોય છે. સંયમ, કરકસર, મિતવ્યતિતા એ ગુણો માનવીની શોભા વધારે છે. સારા ઠેકાણે લાખો ખર્ચાય, પણ ખોટી એક કોડી પણ ન ખર્ચાય.

- મિતેશભાઇ શાહ

''  સૌજન્ય  ''

- ગુજરાત સમાચાર

♠ સમજદાર માટે સ્મશાન પણ સાધના ભૂમિ બની શકે છે. ♠

સ્પાર્ક - વત્સલ વસાણી

- ગુજરાત સમાચાર ( રવિપૂર્તિ ) 

 

જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો છોડતી નથી,જગત એક મમતાનો ખેલ છે

બુદ્ધની પાસે કોઈ સત્યની શોધ માટે આવે તો એને એક અનેરી સાધના પદ્ધતિમાંથી પસાર થવું પડતું. પહેલા ત્રણ મહિના માટે બુદ્ધ એને સ્મશાનમાં મોકલી દેતા. આખો દિવસ અને રાત ત્યાં જ રહેવાનું અને જે કાંઈ બને તે જોયા કરવાનું.

લોકો સાધના માટે મંદિરમાં જાય, કોઈ તીર્થભૂમિ કે આશ્રમમાં જઈને રહે એ તો સમજી શકાય એવી વાત છે પણ સ્મશાનમાં જઈને રહેવું અને એને જ સાધના ભૂમિ બનાવવી એ એક કપરું કામ છે. વર્ષો સુધી આશ્રમમાં રહેવાથી જે નથી મળતું તે માત્ર ત્રણ જ મહિના સ્મશાનમાં રહેવાથી મળે છે. જિંદગીભર તમે મંદિર, મસ્જિદ, ચર્ચ કે દેરાસરના - પગથિયા ઘસતા રહો તો પણ વૈરાગ્યનો ઉદય નહીં થાય, અને એ જ કામ માત્ર ચોવીસ કલાક માટે સ્મશાનમાં જઈ બળતી ચિતાઓને જોયા કરો તો આપમેળે થઈ જશે.

ચાંડાલ લોકો ચોવીસ કલાક તો શું, જિંદગીભર સ્મશાનમાં જ રહે છે પણ એનું મૃત્યુ એટલે શું ? જીવન કેવું ક્ષણભંગુર છે !... એનો ખ્યાલ જ નથી આવતો. સ્મશાનમાં રહીને પણ એ લોકો વધારે જડ થતા જાય છે. શબ પર ઓઢાડેલી ચાદર લેવામાં, સાડી, ધોતી કે કફન જેવી કઈ વસ્તુ ઉઠાવી લેવામાં જ એને રસ હોય. રોજે રોજ મડદા બાળવા છતાં એમના મનમાં જીવનની ક્ષણભંગુરતાનો કોઈ ખ્યાલ નથી જાગતો.

એકની એક ઘટના, એક વ્યક્તિ માટે જાગરણનું નિમિત્ત બને તો બીજીને સોડ તાણીને સૂઈ રહેવામાં ય મદદ કરી શકે. તમારી સંવેદનશીલતા કેટલી ગહન છે, તમારી પાસે સમજ અને પ્રજ્ઞાા છે કે નહીં તેનો ખ્યાલ જીવનમાં બનતી ઘટનાઓને તમે કેવી રીતે જુઓ છો અને એમાથી શું શીખો છો તેના પરથી આવે છે.

લીઓત્સે એક ઝાડ નીચે વિશ્રામ કરતા હતા... એવામાં ઉપરથી એક પાકું- પીળું પાન ખર્યું. એ જ્યાં સુધી લીલું હતું. ત્યાં સુધી ઝાડની ડાળી સાથે જોડાયેલું હતું. ખેંચો તો પણ એ છૂટું પડવા તૈયાર ન હતું અને જોર કરીને તોડી લો તો એમાંથી ક્ષીર નીકળશે, એ એક પ્રકારનો રક્તપાત છે. જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યાં સુધી પીડા અને વેદના વ્યક્તિનો પીછો નથી છોડતી. પરાણે છોડવું પડે તો, મૂળ સહિત ઝાડને ઉખેડવામાં આવે ત્યારે ભૂમિની જે હાલત થાય, એ જ હાલત સંસાર પ્રત્યે આસક્તિ રાખીને જીવતી વ્યક્તિની, મૃત્યુ વખતે થાય છે..


લાઓત્સે જેવી વ્યક્તિ એક ખરતા પાનને જોઈને જાગી શકે છે. એ ઘટના પરથી જ એમને ગુરુમંત્ર મળી જાય છે. જે લોકો સંસારને છોડીને ભાગે છે તે મહાપરાણે ઝાડ પરથી પાન તોડવાની કોશિષ કરે છે. મનમાં ક્યાંક એનો ઘા અને સંસાર પ્રત્યેની આસક્તિનો ભાવ સલામત રહે છે.

જ્યારે મનમાંથી આસક્તિ છોડીને સંસારની વચ્ચોવચ્ચ રહેવા છતાં, પૂર્ણ વિરક્તિનો અનુભવ થઈ શકે છે. આટલી એક નાનકડી ઘટના પરથી લાઓત્સે જેવી વ્યક્તિને સમજાઈ જાય છે કે છોડવાની ચીજ સંસાર નહિ પણ સંસાર પ્રત્યેની આસક્તિ છે. આસક્તિ છોડો એટલે પાકા (પીળા) પર્ણની જેમ તમે સરળતાથી છૂટા પડી શકો છો. સંસારની કોઈ ચીજ તમને બાંધી શકતી નથી.

લાઓત્સેએ જોયું કે, આ સૂકા પર્ણ પાસેથી પણ જીવનની ગહનત્તમ વાત શીખવા મળી શકે તેમ છે. એની પાસે પોતાની કોઈ ઇચ્છા નથી હવે એને જ્યાં લઈ જાય ત્યાં એ જાય છે ઉડાડે તો હવામાં ઉપર ઉઠે છે અને ક્ષણમાં નીચે પાડે તો પણ એના મનમાં કોઈ વ્યથા કે વેદના નથી એણે સંપૂર્ણપણે પોતાની જાત હવાને સોંપી દીધી છે.

જીવન પણ શું આ રીતે જીવી ન શકાય ? પરમાત્મા જ્યાં લઈ જાય ત્યાં જવું, જે કરાવે તે કરવું, જીવાડે તો જીવવું અને મારે તો મરવું. સંપૂર્ણ સમર્પણ અને સ્વીકૃતિ સાથે જીવવામાં આવે તો મનમાં ક્યાંય કોઈ પીડા કે ફરિયાદની ભાવના બચતી નથી. લાઓત્સેએ બસ, સૂકા પાંદડાની જેમ જીવવાનું શરુ કર્યું અને તથાતા, તાઓ કે ધર્મની પરમ અનુભૂતિ આપમેળે જ એમના જીવનમાં ઉતરી આવી.

બુદ્ધનો સમય જુદો હતો, આજનો સમય જુદો છે પણ સ્મશાનને સાધના ભૂમિ તો આજે પણ બનાવી શકાય તેમ છે. ત્રણ મહિના તો શું માત્ર ત્રણ દિવસ પણ સ્મશાનમાં બેસીને જુઓ તો આસક્તિની સાંકળ ઢીલી પડીને તૂટવા લાગશે. જે સમજે એને માટે જગત એક મમતાનો ખેલ છે. દુઃખનું કારણ કોઈ ઘટના નહી પણ અંદર પડેલી મમતા છે જેની સાથે મમતાનો સંબંધ છે એ વ્યક્તિનું મૃત્યુ જ વ્યક્તિને હચમચાવી શકે છે. મમતાના તાર તૂટવાથી જ દુઃખ થાય છે.

જેને તમે ઓળખતા નથી, જેની સાથે તમારો મમતાનો કોઈ નાતો નથી તેનું મૃત્યુ તમને રડાવી કે હચમચાવી શકે નહીં. મમતા છૂટી જાય તો જગતની એક પણ ઘટના તમને સુખ કે દુઃખની અનુભૂતિ નહીં આપે. તમે નિષ્કંપ રહીને જીવનની ઘટનાને જોઈ શકશો અને સાક્ષીની જેમજ અનાસક્ત ભાવે જીવી શકશો. સાક્ષીને સુખ કે દુઃખ બેમાંથી એક પણ ભાવ સ્પર્શી શકતો નથી. સાક્ષી ભાવની સાધના છેવટે વ્યક્તિને દ્વન્દ્વથી પાર લઈ જાય છે સુખ કે દુઃખ, વિજય કે પરાજય, માન કે અપમાન બેમાંથી કશું જ એમને સ્પર્શતું નથી. આવી વ્યક્તિ જલકમલવત્ બની જાય છે. જળમાં રહેવા છતાં જળનો જરા પણ સ્પર્શ ન થવો એ સૌથી મોટી સિદ્ધિ છે.

સંસારમાં રહેવા છતાં સંસારનો સહેજે ય સ્પર્શ ન થવો એ જીવનની સૌથી મોટી સાધના અને સૌથી મોટી સિદ્ધિ છે.

ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો. પત્ની, બાળકો, બહેન, ભાઈ, સગા- સંબંધી તમારા નિર્જીવ શરીરને જોઈને રડી રહ્યા છે. હવે એમના જીવનમાં કોઈ, આનંદ કોઈ ઉલ્લાસ નહિ આવે એવું ક્ષણભર તમને લાગી શકે છે. તમે જ એમના માટે સુખનું કારણ અને ઉત્સવનું નિમિત્ત હતા એવું થોડા સમય માટે જરૃર જોવા મળશે. તમારી સાથેનો એમનો ઊંડો સંબંધ ક્ષણભર તમને અચંબામાં મૂકી દેશે.

જીવતે જીવ જે તમને જોવા કે અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછીની પળોમાં જોવા અને જાણવા મળશે. બસ, થોડીક સબૂરી અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો પણ તમને જોવા મળશે. આજે જે મીઠાઈ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો સવાલ છે. આજે રંગીન કપડા થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ ફરી તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આ જ ઘરમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે.

અહીં કોઈ વિના કશું અટકતું નથી. કોઈના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી. પત્ની પણ રુટિન જિંદગીમાં ગોઠવાઈ જશે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે, થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદો વધી જશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિ ચિન્હ જેવી લાગે છે જે જતા દિવસે કોઈ ખૂણામાં ચાલી જશે. અથવા જગા રોકી રહી હોય એવું લાગશે. આજે તમારા માટે બધું જ કરવાની લાગણી દેખાઈ રહી છે તેના સ્થાને ક્યારેક બેંક બેલેન્સ, વીમો, સંપત્તિની વહેંચણી અને વસિયતનામાની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવું જ થતું આવ્યું છે અને થતું રહેશે.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલુ ગુમાન ઘટી જશે. પછી જે જવાનું છે તે આજે જ ભલેને થઈ જતું. જે નામ પછી ભૂંસાવાનું છે, જે સંબંધો પછીથી શમી થવાના છે, જે ધન સંપત્તિ પર પછીથી તમારો કોઈ અધિકાર નથી રહેવાનો, જે અહંકારના કારણે આજે માથુ ઉંચુ કરીને જીવવાનું મન થાય છે કાલે તે ચિતામાં લાંબા વાંસથી અંગારા વચ્ચે ધકેલાતું હશે આ વિચાર વ્યક્તિમાં હતાશા અને ઉદાસીનતા લાવે તો એમાં સમજનો અભાવ છે. પણ જો આવી સમજ હળવાશ, નમ્રતા, પ્રેમ અને શેષ જીવનને ઉત્સવભર્યું બનાવે તો જ એની સાર્થકતા...

ક્રાન્તિ બીજ
માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે,
જરૃરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે.


- બૈજુ જાની