♠ સમયસૂચકતા ♠

આ એ વખતની વાત છે જ્યારે સુભાષચંદ્ર બોઝના મોટાભાઇ શરતચંદ્ર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં.સવારે ઉઠીને એ જ્યારે ટ્રેનમાં ટોઇલેટ ગયા તો ત્યાં તેમના હાથનું કાંડા ઘડિયાળ ટોઇલેટના બાંકામાંથી નીચે પડી ગયું.એમણે બહાર આવીને તુરંત જ સાંકળ ખેંચી લીધી અને ગાડી ઊભી રખાવી.ગાડી વધુમાં વધું એકાદ માઇલ તો ચાલી જ હશે.

ગાર્ડે આવીને પૂછપરછ કરતાં શરતચંદ્રે કારણ બતાવ્યું.ગાર્ડે કહ્યું કે,'' અરધી રાત્રી વિતી ગઇ છે અને હવે તમને તમારી ઘડિયાળ જડવી મુશ્કેલ છે.''

શરતચંદ્રે કહ્યુ,''ના,મને વિશ્વાસ છે.મારી ઘડિયાળ જડશે જ.મે ઘડિયાળની પાછળ એક સળગતી સિગારેટ નાંખી છે.એ સળગતી સિગારેટ અંધારામાં પણ દેખાશે.એ પછી થોડા જ અંતરે ઘડિયાળ પડી હશે.''

ગાર્ડે બે માણસોને તપાસ માટે મોકલ્યા અને ઘડિયાળ મળી ગઇ.આનું નામ સમયસૂચકતા.અચાનક આવી પડેલી આફત વખતે જે સૂઝી આવે એનું નામ સમયસૂચકતા. આવી સૂઝ માટે કોઇ વિશેષ તાલીમ લેવાની જરૂરિયાત પડતી નથી.આ માટેના કોઇ ટ્યુશન ક્લાસ હોતા નથી પણ માનવી ધારે તો આવી સમયસૂચકતા જાતે કેળવી શકે છે.